આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય

આણંદ-ખંભાતના રેલવે યાત્રીઓ માટે કોરોના કાળમાં રેલવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલી મેમુ ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. જેને લઇને પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી આણંદ-ખંભાત પેસેન્જર મેમુ ટ્રેન (anand-khambhat-train) ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ રેલવે તંત્ર દ્વારા હાલમાં સ્પેશિયલ ટ્રેન દોડવવાના નામે ઉઘરાણું શરૂ કર્યા હોય તેમ સામાન્ય મેમુ કરતાં ૧૫૦ ટકા ભાડાનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આણંદથી ખંભાત (anand-khambhat-train) વચ્ચે ડેમુનું ભાડું રૂ. ૧૫ હતું તે આજથી રૂ. ૩૫ વસુલવાનું શરૂ કરાયું છે. અપડાઉન કરનારાઓ માટે સૌથી માઠી બાબત એ છે કે આજથી શરૂ કરાયેલી ટ્રેનમાં પાસ માન્ય નથી.

પરંતુ અગાઉ આણંદ-ખંભાત વચ્ચે ડેમુ (ડિઝલ) ટ્રેન (anand-khambhat-train) દોડતી હતી તેને બદલે આજથી મેમુ (ઇલેક્ટ્રીક) દોડાવવાની જાહેરાત રેલવે દ્વારા ગાઇ વગાડીને કરાઇ હતી. પરંતુ આજે સોમવારથી શરૂ કરાયેલી ટ્રેનમાં અગાઉની જેમ જ ડેમુ હતી. એટલું જ નહીં કોરોના પહેલા આણંદ-ખંભાત (anand-khambhat-train) વચ્ચે રૂ. ૧૫ના ભાડાને બદલે આજની નવી વ્યવસ્થા મુજબ રૂ. ૩૫ વસુલવામાં આવ્યા છે. દરમિયાન આજથી આણંદ-ગોધરા રેલવે લાઇન પર પણ પેસેન્જર વ્યવહાર શરૂ કરાયો છે પરંતુ તેમાં પણ ખંભાત રૂટ જેવી જ હાલત છે.

Total
0
Shares
Previous Article

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

Next Article

સરદાર પટેલ યુનિવર્સિટીના ફિઝીયોથેરાપીના વિદ્યાર્થીઓ દ્વારા માસ પ્રમોશન આપવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા

Related Posts
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Read More

આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ…
Read More

ચરોતરમાં વિશ્વ યોગ દિવસ 2021ની ઠેર ઠેર ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી

– આણંદ જિલ્લાની શાળા-કોલેજો સહિત સામાજિક સંસ્થાઓમાં આયોજન – કોરોનાના કપરાં કાળમાં યોગનું મૂલ્ય સમજાયું : યોગ દિવસની…
Total
0
Share