ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ જગ્યાએ આવવા જવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવ્યાંગ વ્યક્તિઓની પરેશાની ધ્યાનમાં રાખીને તાજેતરમાં ઈન્વેશન કરવામાં આવ્યું છે. Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે આ ટ્રાઈ સાયકલને આરામદાયક અને સ્વસંચાલિત બનાવે છે. આ ટ્રાઈ સાયકલ (electric tricycle) થી દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંય પણ આવવા જવાની પરેશાની નહીં થાય. આનંદ મહિન્દ્રાને આ ઈન્વેશન ખૂબ ગમ્યું છે.

Anand Mahindraએ શું નિવેદન આપ્યું-

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિડીયો કેટલા સમય પહેલાનો છે અને આ વ્યક્તિઓ કોણ છે તે અંગે કંઈ જ ખબર નથી. આ વિડીયો સિગ્નલ એપ પરથી પ્રાપ્ત થયો છે. આ વિચાર ખૂબ જ સારો અને એક સારુ ઈન્વેશન છે. વિકલાંગ વ્યક્તિઓને આ ટ્રાઈ સાયકલથી ખૂબ જ સહાય થશે. આ ઈન્વેશન સમર્થનને યોગ્ય છે અને આ અંગે મદદ કરીને મને ખૂબ જ ખુશી થશે.

Anand Mahindraએ મદદનું આશ્વાસન આપ્યું

ટ્રાઈ સાયકલના ઈન્વેશનના આ વિડીયો અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આનંદ મહિન્દ્રાએ આ ટ્રાઈ સાયકલનું ઈન્વેશન કરવા માટે મદદનું આશ્વાસન આપ્યું છે. આ ટ્રાઈ સાયકલનું નિર્માણ કરનાર વ્યક્તિ ક્યારે સામે આવે છે, તે જોવાનું રહેશે.

ટ્વિટ પર રિએક્શન

આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને 1 હજારથી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યું છે અને 9 હજારથી અધિક લાઈક્સ મળી છે. આનંદ મહિન્દ્રાને કેટલાક યૂઝર્સે વિકલાંગ લોકો માટે સ્કૂટર બનાવવાની ડિમાન્ડ કરી છે.

આ ટ્રાઈ સાયકલની મદદથી વિકલાંગ વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી અવરજવર કરી શકશે.
Total
0
Shares
Previous Article

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Next Article

Bajajની આ બાઇક 90 કિમીની માઇલેજ આપે છે, જાણો કિંમત અને ફીચર્સ

Related Posts
Read More

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર…
Read More

વડોદરા : Vaccine વાળા ગણેશજીના આશીર્વાદથી ભાગશે Corona, મૂર્તિકારે કર્યુ અનોખું સર્જન

કોરોનાકાળ દરમિયાન લોકોમાં જાગૃતતા લાવવા માટે વડોદરા શહેરના મૂર્તિકારે વેક્સિનેશન થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી. એમ પણ કહેવામાં…
Read More

આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ છે. વહેલી સવારથી જ નવી દિલ્હી ખાતે આવેલી મહાત્મા ગાંધીની…
Read More

ખેડૂતો માટે રાહતનાં સમાચાર: રાજ્યમાં આગામી ચાર દિવસ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જન્માષ્ટમીના (Rainfall on Janmashtami) દિવસે રાજ્યનાં (Gujarat) અનેક વિસ્તારોમાં મેઘરાજાની (Monsoon) મહેર પડતા જગતના તાત સાથે સામાન્ય જનતાને…
Total
0
Share