ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

રાજપથ માર્ગ પર આણંદની અનોખી ફૂટપાથ શાળા

આણંદ શહેરમાં આવેલ રાજપથ માર્ગ ઉપર એક અનોખી ફૂટપાથ શાળા ચાલે છે. જેમાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

આ શાળામાં શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે આ જે દ્રશ્યો લોકોમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ શાળા ચારુતર વિદ્યામંડળના પ્રો. ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળામાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ઉમાબેન દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તે બાળકોને પણ ગૌરીવ્રત નિમિત્તે તેમનો હરખશોખ પૂર્ણ કરવાના હેતુસર તેમના દ્વારા ગત રોજ ફૂટપાથ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને હાથમાં મહેંદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે તેમના દ્વારા વાર તહેવાર પ્રસંગે બાળકોને દરેક ખુશીઓ વહેંચવામાં આવે છે. ઉપરાંત આ શાળામાં સેવાભાવીઓ દ્વારા પણ જન્મતિથિ, પુણ્યતિથિ નિમિત્તે અનેક અવી સેવાઓ કરવામાં આવે છે. આ બાબતે ઉમાબેન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, હું પણ આ જ પરિસ્થિતિમાંથી બહાર આવી છું જેથી મને આ પરિસ્થિતિનો અનુભવ છે. એટલેજ હું આ બાળકોને ફુલ નહી તો ફૂલની પાંખડી વહેંચવા માંગુ છંંુ.

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ચરોતરમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

Next Article

જો તમે પણ તમારા બાળકને સાબુથી નવડાવો છો, તો આ માહિતી ચોક્કસપણે વાંચો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન…

Related Posts
Read More

અંબાલાલ પટેલે કરી આગાહી બંગાળમાં સર્જાઈ શકે છે ચક્રવાત મોટી હલચલને કારણે આવી શકે છે વાવાઝોડું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને આગાહી કરી છે. મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો…
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Read More

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો

કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી બોરસદ કોર્ટ માં રજૂ કરવામાં આવ્યો 2017 માં અપક્ષ કાઉન્સિલર પ્રેગ્નેશ પટેલ પર…
Total
0
Share