મધરાતે જેલમાં લાગી આગ, 40 કેદીઓ આગમાં જીવતા ભૂંજાઈ ગયા, અનેક ગંભીર રીતે ઘાયલ

બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી , જેમાં 40 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે તંગેરંગ જેલના બ્લોક c માં બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મધરાતે લાગી આગ 
બુધવારે રાત્રે 1 કે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી જ્યારે મોટાભાગના કેદી સૂઈ ગયા હતા અને આઅ દુર્ઘટનામાં કેટલાક કેદીઓને એટલી ગંભીર ઇજા પણ થઈ હતી કે તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બધા ઘયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તંગેરંગ જેલના બ્લોક C ને હવે પૂરેપૂરો ખાલી કરવી દેવામાં આવ્યો છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા
બેન્ટન પ્રાંતમાં તંગેરંગ જેલના બ્લોક સીમાં આગ લાગી હતી, જ્યાં જેલ ભીડ હતી. આ બ્લોકમાં 122 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ જે કેદીઓને રાખવામાં આવ્યા હતા તેમની સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની તંગેરંગની જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની 600 લોકોની ક્ષમતા કરતા ઘણા વધારે છે.

ડ્રગ્સ સંબંધિત ગુનેગારો જેલમાં છે
કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે જેલના આ બ્લોકનો ઉપયોગ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો. કોમ્પાસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે જેલમાં લાગેલી આગમાં 41 લોકોના મોત થયા છે અને 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા યુસરી યુનુસે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, પ્રાથમિક શંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે.

Total
0
Shares
Previous Article

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

Next Article

BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

Related Posts
Read More

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે…
Read More

વડોદરા : Vaccine વાળા ગણેશજીના આશીર્વાદથી ભાગશે Corona, મૂર્તિકારે કર્યુ અનોખું સર્જન

કોરોનાકાળ દરમિયાન લોકોમાં જાગૃતતા લાવવા માટે વડોદરા શહેરના મૂર્તિકારે વેક્સિનેશન થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી. એમ પણ કહેવામાં…
Read More

વોશિંગટનમાં ગૂંજ્યા મોદી-મોદીના નારા! જોરદાર સ્વાગત પર PMએ કહ્યુ- પ્રવાસી ભારતીય આપણી તાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વોશિંગટન ડીસીમાં એરપોર્ટની બહાર ભારતીય સમુદાયના લોકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું, જુઓ PHOTOS ત્રણ દિવસીય યાત્રા…
Read More

જમ્મુ-કાશ્મીરના પુંછમાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 1 જેસીઓ સહિત 5 સૈનિક શહીદ

સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી દીધો છે અને હાલ ત્યાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લા સ્થિત ડેરાની…
Total
0
Share