આણંદના ઉમરેઠનો નાયબ મામલતદાર ખિસ્સું ગરમ કરતાં રંગે હાથ ઝડપાયો, આ કારણે માંગી લાખોની લાંચ

મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

  • ઉમરેઠનો નાયબ મામલતદાર ACBના છટકામાં 
  • સવા બે લાખની બિલ્ડર પાસે માંગી હતી લાંચ 
  • ACB હવે જયપ્રકાશ સોલંકીનું માપશે ક્ષેત્રફળ  

જમીનના ક્ષેત્રફળના બદલામાં પોતાનું ક્ષેત્રફળ વધારવાના મનસુબા ઘડતો મધ્યગુજરાતના ઉમેરેઠનો નાયબ મામલતદાર નડિયાદ ACBનાં હાથે રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે.હવે ACB એ તપાસમાં લાગી છે કે, કોના-કોના ક્ષેત્રફળ બદલવામાં અગાઉ આ નાયબ મામલતદાર પોતાનું ક્ષેત્રફળ વિસ્તારી ચુક્યો છે.

જમીન ક્ષેત્રફળ સુધારણા માટે માંગી લાંચ 

ગુજરાતમાં નવી સરકાર આવતા જ એન્ટી કરપ્શન બ્યુરોએ પોતાનો સપાટો જારી રાખ્યો છે. મધ્ય ગુજરાતના ઉમરેઠમાં ઈ-ધરા વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો જયપ્રકાશ સોલંકી એક બિલ્ડર પાસેથી રૂપિયા 2.25ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.નડિયાદ ACB એ એક છ્ટકાના રૂપમાં બિલ્ડરને સાથે રાખી નાયબ મામલતદારને ઝડપી લીધો હતો. ઉમરેઠમાં ઈ ધરા ઓફીસ પર નજીકના ભાલેજના એક બિલ્ડર નાયબ મામલતદાર સોલંકી પાસે આવ્યા અને તેમણે હાલમા જ 11 વીઘા જેટલી જમીન ખરીદી હતી. તેમને જમીનના ક્ષેત્રફળમાં કોઈ ખામી જણાતા,સુધારણા દસ્તાવેજના માધ્યમથી વેંચાણ દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા જરૂર લાગી હતી.

Total
0
Shares
Previous Article

ટાટા મોટર્સે માઈક્રો SUV TATA Punchની લોન્ચિંગ તારીખ કરી જાહેર, જાણો તમામ વિગત

Next Article

સરકારની મોટી જાહેરાત, શેરી-ગરબામાં 400 લોકોને મંજુરી, રાત્રી કરફ્યૂમાં 1 કલાકની રાહત

Related Posts
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Anand Borsad Bridge
Read More

આણંદના રેલવે ઓવરબ્રિજનું નિર્માણનું કામ પૂરું થાય તે પહેલાં જ દિવાલ ધરાશાયી થતા બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન

આણંદ તરફના બ્લોકની બનાવેલી દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.બોરસદ ચોકડી પર…
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Total
0
Share