કાબુલ એરપોર્ટ બહાર બે આત્મઘાતી વિસ્ફોટ : ૬૦ લોકોનાં મોત, ૧૫૦થી વધુ ઘાયલ : બધી ફ્લાઈટો રદ્દ

કાબુલ ઍરપોર્ટ બ્લાસ્ટની જવાબદારી ISIS એ સ્વીકારી, બાયડન ઍક્શન મોડમાં, લઈ શકે છે મોટો નિર્ણય

કાબુલ : તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. આજે ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર કાબુલમાં ઈટાલીના એક વિમાન પર ફાયરિંગ કર્યુ છે. જાણકારી અનુસાર ફાયરિંગ વિમાન ઉડવાની તૈયારીમાં હતું ત્યારે થયું હતું. જોકે રાહતની વાત એ છે કે વિમાનને વધુ નુકસાન થયુ નથી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિક કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરૂવારે સાંજે બ્લાસ્ટ થયો. રશિયન મીડિયા મુજબ આ વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા છે જ્યારે 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોમાં ત્રણ અમેરિકન સૈનિક પણ સામેલ છે. ઘટના પછી એરપોર્ટથી તમામ ફ્લાઈટનું ઓપરેશન બંધ કરી દેવાયું છે.

કાબુલ સ્થિત અમેરિકી એમ્બેસીએ કહ્યું છે કે જેઓ કાબુલ એરપોર્ટના અબ્બે ગેટ, ઈસ્ટ ગેટ કે નોર્થ ગેટ પર હાજર છે તેઓ તાત્કાલિક ત્યાંથી હટી જાય અને આગામી સુચનાની રાહ જુએ. તો બ્રિટને પણ આશંકા વ્યક્ત કરી હતી કે ISIS કાબુલ એરપોર્ટમાં હુમલો કરી શકે છે. કાબુલમાં થયેલા સીરિયલ બ્લાસ્ટને લઇને અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યું છે. દૂતાવાસે લોકોને એરપોર્ટ તરફ ન જવાની સૂચના આપી છે. દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરતાં કહ્યું કે લોકો કાબુલ એરપોર્ટ પાસે જતાં બચે.

Total
0
Shares
Previous Article

જન્માષ્ટમી અને ગણેશોત્સવને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત

Next Article

ભારતમાં ફરી વધી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં 46,759 નવા કેસ, 509 મોત

Related Posts
Read More

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દક્ષિણમાં આજે સવારે આશરે 5 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા. નેશનલ સેન્ટર ફોર સ્મીમોલોજી અનુસાર રિક્ટર…
Read More

આજે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ, PM મોદી સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

આજે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જયંતિ છે. વહેલી સવારથી જ નવી દિલ્હી ખાતે આવેલી મહાત્મા ગાંધીની…
Read More

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક…
Read More

સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે…
Total
0
Share