મધરાતે જેલમાં લાગી આગ, 40 કેદીઓ આગમાં જીવતા ભૂંજાઈ ગયા, અનેક ગંભીર રીતે ઘાયલ

બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી , જેમાં 40 લોકો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે તંગેરંગ જેલના બ્લોક c માં બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

મધરાતે લાગી આગ 
બુધવારે રાત્રે 1 કે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી જ્યારે મોટાભાગના કેદી સૂઈ ગયા હતા અને આઅ દુર્ઘટનામાં કેટલાક કેદીઓને એટલી ગંભીર ઇજા પણ થઈ હતી કે તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બધા ઘયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તંગેરંગ જેલના બ્લોક C ને હવે પૂરેપૂરો ખાલી કરવી દેવામાં આવ્યો છે.

ક્ષમતા કરતાં વધુ કેદીઓને જેલમાં રાખવામાં આવ્યા હતા
બેન્ટન પ્રાંતમાં તંગેરંગ જેલના બ્લોક સીમાં આગ લાગી હતી, જ્યાં જેલ ભીડ હતી. આ બ્લોકમાં 122 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ જે કેદીઓને રાખવામાં આવ્યા હતા તેમની સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની તંગેરંગની જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની 600 લોકોની ક્ષમતા કરતા ઘણા વધારે છે.

ડ્રગ્સ સંબંધિત ગુનેગારો જેલમાં છે
કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે જેલના આ બ્લોકનો ઉપયોગ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ માટે કેદીઓને રાખવા માટે કરવામાં આવતો હતો. કોમ્પાસ ટીવીએ અહેવાલ આપ્યો છે કે જેલમાં લાગેલી આગમાં 41 લોકોના મોત થયા છે અને 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા યુસરી યુનુસે એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, પ્રાથમિક શંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હશે.

Total
0
Shares
Previous Article

ALERT! પહેલી નવેમ્બરથી આ 43 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, અહીં જાણો સમગ્ર યાદી

Next Article

BMWને રજૂ કરી ઇલેક્ટ્રોનિક બાઇક, સિંગલ ચાર્જમાં દોડશે 90ં KM, જાણો બીજી વિગતો પણ

Related Posts
Read More

મહારાષ્ટ્રમાં જળ પ્રલય, ભારે વરસાદના કારણે છેલ્લા 48 કલાકમાં 129ના મોત

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના કોકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વરસાદનો હાહાકર શરું થઈ ગયો છે. રાજ્યના મહેસૂલ મંત્રીએ…
Read More

પાકિસ્તાનમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત, મોટા નુકસાનની આશંકા

રાત્રે 3:30 વાગ્યે ધરતી ધ્રૂજતા ઘણા લોકો ઊંઘમાં જ મોતને ભેટ્યા, વીજળી ડુલ થતાં હોસ્પિટલોમાં પણ અંધારપટ દક્ષિણ…
Read More

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં આવ્યો

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ… પશુ સામ્રાજ્યના સૌથી ખુબસુરત પ્રાણીનો આ ઉત્સવ બીગ કેટ રેસક્યુ દ્વારા સ્થાપવામાં…
Read More

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

રાજ્યમાં અત્યાર સુધી 17 ઓગસ્ટ સુધી અંતિત 311.82 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ…
Total
0
Share