શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં.

શિવની ભક્તિ કરવાના પવિત્ર શ્રાવણ (Shravan) માસનો તા.9 ઓગસ્ટ, સોમવાર (Shravan first Day) એટલે આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના (Somnath Mahadev Temple) સાંનિધ્યે શ્રાવણ માસની કોરોનાને લઇ સરકારની ગાઇડલાઇનના (Corona Guidline) ચુસ્ત પાલન સાથે ઉજવણી કરવાનું ટ્રસ્ટે જાહેર કર્યુ છે. આજે શ્રાવણ માસનાં પહેલો દિવસ છે અને તેમાં પણ સોમવાર છે એટલે મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે પહોંચી ગયા છે. આ સાથે તમે ઘરે બેઠા અમારી સાથે પણ દર્શન (Somnath Darshan live) કરી શકો છો

આ વખતે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તંત્રએ અનેક તૈયારીઓ કરી છે. જે મુજબ શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. સોમનાથ સાંનિધ્યે સાંસ્કૃતિક, આદ્યાત્મિક જેવા કોઇ કાર્યક્રમો પણ નહીં યોજાય જયારે દર્શન માટે ઓનલાઇન અથવા ઓફ લાઇન પાસ લેવો ફરજીયાત રહેશે.

આ અંગે માહિતી આપતા ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના ઉત્સવનો પ્રારંભ તા.9 શ્રાવણ સુદ એકમને સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.6 શ્રાવણ વદ અમાસને સોમવારે થશે. જેમાં ભાવિકો માટે શ્રાવણ માસના તમામ શનિવાર, રવિવાર, સોમવાર અને તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે 4થી 6:30 તથા 7:30થી 11:30 અને બપોરે 12:30થી 6:30, સાંજે 7:30થી 10 વાગ્‍યા સુધીનો રહેશે. જયારે બાકીના દિવસોમાં મંદિરોના દર્શનનો સમય સવારે 5:30થી 6:30 તેમજ સવારે 7:30થી 11:30, બપોરે 12:30થી 6:30 અને રાત્રીના 7:30 થ 10 વાગ્‍યા સુઘીનો રહેશે. (આજે ભક્તોની ભીડ)

વઘુમાં ભાવિકો સોમનાથ મહાદેવની મહામૃત્યુંજય મંત્રજાપ યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિતની પૂજાવિધિઓ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરેબેઠા પૂજાવિધિનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. (રવિવારનાં દર્શન)

મંદિરમાં પ્રવેશ પહેલા ભાવિકોએ ફરજીયાત માસ્ક પહેરવુ અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. મંદિરમાં પ્રવેશ સમયે ભાવિકોએ ટેમ્પ્રેચર ચેક કરાવી સેનીટાઇઝ કરીને જ પ્રવેશ કરી શકશે. શ્રાવણ માસમાં બહારગામથી આવતા ભાવિકોએ મંદિરની વેબસાઇટ WWW.SOMNATH.ORG પર દર્શન માટે પ્રી-રજીસ્ટ્રેશનથી બુક કરાવીને નિયત સમયે આવી દર્શનનો લ્હાવો લઇ શકશે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને દરરોજ અલોકીક શણગારોથી સજ્જ માટે 30 અલગ-અલગ શણગાર નકકી કરવામાં આવ્યા છે.(રવિવારનાં દર્શન)

Total
0
Shares
Previous Article

Gold For India : નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીત્યો, ભારતને એથ્લેટિક્સમાં પ્રથમ મેડલ

Next Article

હવે Whatsapp પર મળી જશે કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, આ રીતે જાણો સંપૂર્ણ પ્રોસેસ

Related Posts
Read More

PM મોદીએ કેદારનાથ બાદ બદ્રીનાથમાં પૂજા કરી:મોદી હવે માણા પહોંચ્યા, PM આજે રાત્રે વિષ્ણુના ધામમાં રોકાશે

મોદીએ કેદારનાથમાં 20 મિનિટ ભોલેનાથની પૂજા કરી હતી. કેદારનાથમાં હિમાચલી ટોપી અને વિશેષ સફેદ ડ્રેસમાં બાબાનાં દર્શન કર્યા…
Read More

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને…
Read More

ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

GSEB 12th science repeaters student online result: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે.…
Read More

UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા…
Total
0
Share