ઈલેક્ટ્રિક ટ્રાઈ સાયકલના ઈન્વેશનને આનંદ મહિન્દ્રાનું દિલ જીતી લીધું, મદદ માટેની કરી રજૂઆત

Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને કોઈપણ જગ્યાએ આવવા જવામાં અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવ્યાંગ વ્યક્તિઓની પરેશાની ધ્યાનમાં રાખીને તાજેતરમાં ઈન્વેશન કરવામાં આવ્યું છે. Mahindra & Mahindra ના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેનો એક વિડીયો ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં વિકલાંગ વ્યક્તિઓ ટ્રાઈ સાયકલ ખૂબ જ સરળતાથી ચલાવી શકતો હોવાનું જોવા મળે છે. આ ટ્રાઈ સાયકલમાં ઈલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. જે આ ટ્રાઈ સાયકલને આરામદાયક અને સ્વસંચાલિત બનાવે છે. આ ટ્રાઈ સાયકલ (electric tricycle) થી દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંય પણ આવવા જવાની પરેશાની નહીં થાય. આનંદ મહિન્દ્રાને આ ઈન્વેશન ખૂબ ગમ્યું છે.

Anand Mahindraએ શું નિવેદન આપ્યું-

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ વિડીયો કેટલા સમય પહેલાનો છે અને આ વ્યક્તિઓ કોણ છે તે અંગે કંઈ જ ખબર નથી. આ વિડીયો સિગ્નલ એપ પરથી પ્રાપ્ત થયો છે. આ વિચાર ખૂબ જ સારો અને એક સારુ ઈન્વેશન છે. વિકલાંગ વ્યક્તિઓને આ ટ્રાઈ સાયકલથી ખૂબ જ સહાય થશે. આ ઈન્વેશન સમર્થનને યોગ્ય છે અને આ અંગે મદદ કરીને મને ખૂબ જ ખુશી થશે.

Anand Mahindraએ મદદનું આશ્વાસન આપ્યું

ટ્રાઈ સાયકલના ઈન્વેશનના આ વિડીયો અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ નથી. આનંદ મહિન્દ્રાએ આ ટ્રાઈ સાયકલનું ઈન્વેશન કરવા માટે મદદનું આશ્વાસન આપ્યું છે. આ ટ્રાઈ સાયકલનું નિર્માણ કરનાર વ્યક્તિ ક્યારે સામે આવે છે, તે જોવાનું રહેશે.

ટ્વિટ પર રિએક્શન

આનંદ મહિન્દ્રાના આ ટ્વિટને 1 હજારથી વધુ વખત રિટ્વિટ કરવામાં આવ્યું છે અને 9 હજારથી અધિક લાઈક્સ મળી છે. આનંદ મહિન્દ્રાને કેટલાક યૂઝર્સે વિકલાંગ લોકો માટે સ્કૂટર બનાવવાની ડિમાન્ડ કરી છે.

આ ટ્રાઈ સાયકલની મદદથી વિકલાંગ વ્યક્તિઓ ખૂબ જ સરળતાથી અવરજવર કરી શકશે.
Total
0
Shares
Previous Article

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Next Article

Bajajની આ બાઇક 90 કિમીની માઇલેજ આપે છે, જાણો કિંમત અને ફીચર્સ

Related Posts
Read More

નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવતા રેલવે ટ્રેક ઉપર કોઈ કે લોખંડની એંગલો મૂકી હતી જો માલગાડીના ડ્રાઇવરની…
Read More

13 ઓક્ટોબરે પ્રધાનમંત્રી લોન્ચ કરશે પીએમ ગતિ શક્તિ યોજના, જાણો તેના ફાયદા

દેશના વિકાસના રસ્તામાં આ યોજનાની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)13 ઓક્ટોબરે…
Total
0
Share