ગુજરાતમાં મેઘમહેર: રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો, આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે પણ મેઘમહેર જારી રહી છે અને દિવસ દરમિયાન ૩૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી  પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સવારે ૬ થી સાંજે ૬ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતા-ડીસામાં સૌથી વધુ ૩.૪૨ ઈંચ, વડગામમાં ૩.૨૨ ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં ૩.૧૪ ઈંચ, પાલનપુરમાં ૩.૦૭ ઈંચ, સુરતના ઉમરપાડામાં ૩ ઈંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. આજે જે તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં હળવદ-સતલાસણ-દસાડા-ખેડબ્રહ્મા-ડેડિયાપાડા-સાંતલપુર-સિદ્ધપુર-વડાલીનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ૧૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૫૭.૭૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શનિવારે બનાસકાંઠા-મહેસાણા-સાબરકાંઠા-પાટણ-અરવલ્લી-ગાંધીનગર-અમદાવાદ-નર્મદા-સુરત-તાપી-સુરેન્દ્રનગર-મોરબી, રવિવારે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-સુરત-નવસારી-વલસાડ-સુરેન્દ્રનગર-ભાવનગર-બોટાદમાં જ્યારે સોમવારે બનાસકાંઠા-સાબરકાંઠા-મહેસાણા-પાટણ-અમદાવાદ-ગાંધીનગર-ખેડા-આણંદ-પંચમહાલ-દાહોદમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Total
0
Shares
Previous Article

T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, મેન્ટર તરીકે ઘોની સાથે જશે

Next Article

Smart Glasses / Facebookએ લોન્ચ કર્યા પહેલા Smart ચશ્મા, ચોરી-છીપે કરી શકશો Video રેકોર્ડિંગ; જાણો કિંમત અને ફીચર્સ

Related Posts
Read More

PM Modi Birthday: PM મોદીનો આજે 71મો જન્મદિવસ- જાણો તેમના શાસનમાં કેવી રીતે બદલાઈ ભારતની તસવીર

PM Narendra Modi ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના આદર્શ સૂત્ર ભાર પર મૂકી દેશના વિકાસના કાર્યો હાથ…
Read More

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ યથાવત છે. ત્યારે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની…
Read More

મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિને, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.., પૂછપરછમાં થયો એવો મોટો ખુલાસો કે..

મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે. તેઓ રિલાયન્સના ફાઉન્ડર અને ચેરમેન છે. ગઈકાલે મુકેશ…
Read More

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક…
Total
0
Share