sudden weather change in gujarat

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો

ગુજરાતના અનેક જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે.બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વધુમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

Sudden weather change in gujarat

 હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે આ ત્રણ દિવસની આગાહી કરી છે.  ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડશે. 

ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. તેના માટે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો થયો છે.

તા. 14 મે અને 15 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર. અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ બોટાદ . ભાવનગર તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://ccd.gujarat.gov.in/index.htm

Total
0
Shares
Previous Article

ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?

Related Posts
Read More

જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું

ટેક્નોલોજી આધારીત ખેતી , વિજળીના થાંભલા પર કરંટ ડિટેક્ટ કરતું ડિવાઈસ અને રીમોટ મોનિટરીંગના આઈડિયાઝને ટોપ-3માં સ્થાન મળ્યું…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Total
0
Share