ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

રાજપથ માર્ગ પર આણંદની અનોખી ફૂટપાથ શાળા

આણંદ શહેરમાં આવેલ રાજપથ માર્ગ ઉપર એક અનોખી ફૂટપાથ શાળા ચાલે છે. જેમાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

આ શાળામાં શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે આ જે દ્રશ્યો લોકોમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ શાળા ચારુતર વિદ્યામંડળના પ્રો. ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળામાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ઉમાબેન દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તે બાળકોને પણ ગૌરીવ્રત નિમિત્તે તેમનો હરખશોખ પૂર્ણ કરવાના હેતુસર તેમના દ્વારા ગત રોજ ફૂટપાથ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને હાથમાં મહેંદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે તેમના દ્વારા વાર તહેવાર પ્રસંગે બાળકોને દરેક ખુશીઓ વહેંચવામાં આવે છે. ઉપરાંત આ શાળામાં સેવાભાવીઓ દ્વારા પણ જન્મતિથિ, પુણ્યતિથિ નિમિત્તે અનેક અવી સેવાઓ કરવામાં આવે છે. આ બાબતે ઉમાબેન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, હું પણ આ જ પરિસ્થિતિમાંથી બહાર આવી છું જેથી મને આ પરિસ્થિતિનો અનુભવ છે. એટલેજ હું આ બાળકોને ફુલ નહી તો ફૂલની પાંખડી વહેંચવા માંગુ છંંુ.

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ચરોતરમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

Next Article

જો તમે પણ તમારા બાળકને સાબુથી નવડાવો છો, તો આ માહિતી ચોક્કસપણે વાંચો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન…

Related Posts
Read More

જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું

ટેક્નોલોજી આધારીત ખેતી , વિજળીના થાંભલા પર કરંટ ડિટેક્ટ કરતું ડિવાઈસ અને રીમોટ મોનિટરીંગના આઈડિયાઝને ટોપ-3માં સ્થાન મળ્યું…
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Read More

ગુજરાત: આણંદ પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

રણછોડરાય મંદિર તમે અહીંથી લગભગ 35 કિમીના અંતરે સ્થિત રણછોડરાય મંદિરની મુલાકાત લઈને આનંદ પર્યટનની શરૂઆત કરી શકો…
Read More

લોકસભા ચૂંટણી: મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો પણ રહેશે માન્ય

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ…
Total
0
Share