IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાઇ હતી. જેમા શ્રીલંકાએ ટોસ જીતી પહેલા ભારતને બેટિંગ કરવાનો આમંત્ર આપ્યો હતો. ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 5 વિકેટના નુકસાને 164 રન કરી શ્રીલંકાને જીતવા માટે 165 રનનો લક્ષ્ય આપ્યો હતો. આ મેચ ભારતે 38 રનથી જીતી લીધી છે. ભારત તરફથી શાનદાર બોલિંગ કરવામાં આવી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગના જોરે શ્રીલંકન ટીમને ઘુટણિયે લાવી દીધી હતી. ભુવનેશ્વર કુમારે શ્રીલંકાની 4 વિકેટ ઝડપી હતી.

પૂરા 20 ઓવર પણ ન રમી શકી શ્રીલંકન ટીમ

ભારતીય બોલરો સામે શ્રીલંકાની ટીમ ખૂબ જ લાચાર દેખાઇ. શ્રીલંકાની આખી ટીમ 20 ઓવર પૂરા પણ ન રમી શકી અને 126 પર તેણે તેની છેલ્લી વિકેટ ગુમાવી. શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ સૌથી વધુ રન કર્યા. તેણે 26 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 44 રન કર્યા. આ ઉપરાંત અવિશ્કા ફર્નાંદોએ 26 રન કર્યા.

ભારતની ધારદાર બોલિંગ

ભારતીય બોલરોએ વનડે ફોન જાળવીનો રાખ્યો અને શ્રીલંકન ખેલાડીઓને પીચ પર ટકવા ન દીધા. વનડેમાં નિષ્ફળ રહેલા ભારતના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમાર ફરી ફોર્મ પરત ફર્યો છે. તેણે પ્રથમ ટી-20 મેચમાં 3.3 ઓવરમાં 22 રન આપી 4 વિકેટ ઝડપી. આ ઉપરાંત દિપક ચહરે 2 વિકેટ, જ્યારે કૃણાલ પંડ્યા, વરુણ ચક્રવર્તી, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

સુર્યકુમાર યાદવની ફોર્મ યથાવત

ભારતીય બેટ્સમેનો સારા ફોર્મમાં દેખાઇ રહ્યા છે. સુર્યકુમાર યાદવ અને શિખર ધવને તેમની ફોર્મ જાળવી રાખી છે અને ટી-20માં પણ શાનદાર પ્રદર્શન કર્યું. ભારત તરફથી સુર્યકુમાર યાદવે સૌથી વધુ 50 રન કર્યા. તેણે 50 રન કરવા માટે 34 બોલ રમ્યા. તેણે આ દરમિયાન 5 ચોગ્યા અને 2 છગ્ગા ફટકાર્યા. ઉપરાંત કેપ્ટન શિખર ધવને પણ કેપ્ટન ઇનિંગ રમી હતી. તેણે 46 રનનો યોગદાન આપ્યો.

Total
0
Shares
Leave a Reply
Previous Article

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓને મેઘો ધમરોળશે

Next Article

આ શહેરમાં વહેલી સવારે ધરા ધ્રુજી, 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

Related Posts
Read More

ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ પહેલા લાગ્યો મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીએ અચાનક જ કરી નિવૃત્તિની જાહેરાત…

ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થવાની છે. આ વર્ષે વર્લ્ડ કપનું આયોજન આઇસીસી દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં…
Read More

કોઈ પણ સંજોગોમાં ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જાય: BCCI નો નીડર નિર્ણય

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ(Asia Cup 2023)માં ભાગ લેવા નહીં જાય તેના…
Read More

ભારતીય ક્રિકેટ બોર્ડનો ઐતહાસિક નિર્ણય, પુરુષ અને મહિલા ખેલાડીઓને એક સરખી મેચ ફી મળશે

Historic decision of cricket board મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકટરો જેટલુ જ વેતન આપવાનો ઐતહાસિક નિર્ણય ભારતીય ક્રિકેટ…
Total
0
Share