ISRO લોન્ચ કર્યો ‘EOS-03’ ઉપગ્રહ, ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામીથી મિશન આંશિક રીતે નિષ્ફળ

ISRO GSLV EOS-03 Satellite Launch: ઈસરોના અધ્યક્ષ કે. સિવને જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (Indian Space Research Organization- ISRO)એ પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ EOS-03ને ગુરુવાર સવારે લોન્ચ કર્યો છે. જોકે, લોન્ચના થોડા સમય બાદ ઈસરોના અધ્યક્ષ કે. સિવન (K.Sivan)એ જણાવ્યું કે, ક્રાયોજેનિક સ્ટેજમાં થયેલી ટેકનીકલ ખામીને કારણે ઇસરોનું GSLV-F10/EOS-03 મિશન સંપૂર્ણપણે પૂરું નથી થઈ શક્યું. સ્પેસફ્લાઇટ નાઉ મુજબ, ઈસરોએ પુષ્ટિ કરી છે કે GSLV MK 2 લોન્ચ આજે ક્રાયોજેનિક સ્ટેજ દરમિયાન પર્ફોમન્સમાં ટેકનીકલ ખામીને કારણે અસફળ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017 બાદથી ભારતીય લોન્ચમાં આ પહેલી અસફળતા છે.

ISROએ જણાવ્યું કે, સેટેલાઇટનું પૂરી સફળ 18.39 મિનિટનું હતી પરંતુ અંતિમ સમયે ક્રાયોજેનિક સ્ટેજમાં ટેકનીકલ ખામી આવી ગઈ. તેને કારણે ISRPને આંકડા મળવાનું બંધ થઈ ગયું. ISRO ચીફને જાણકારી આપ્યા બાદ જણાવવામાં આવ્યું કે EOS-3 મિશન આંશિક રીતે અસફળ થઈ ગયું છે.

જો ઇસરોનું આ મિશન સફળ થયું હોત તો સવારે લગભગ સાડા દસ વાગ્યાથી તે સેટેલાઇટ ભારતની તસવીરો લેવાનું શરૂ કરી દેતું. આ લોન્ચની સાથે ઇસરોએ પહેલીવાર ત્રણ કામ કર્યા હતા. પહેલું- સવારે પોણા છ વાગ્યે સેટેલાઇટ લોન્ચ કર્યો. બીજું- જિયો ઓર્બિટમાં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટને સ્થાપિત કરવાનો હતો. ત્રીજું- ઓજાઇવ પેલોડ ફેયરિંગ એટલે કે મોટા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવો.

નોંધનીય છે કે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ (EOS)ની મુખ્ય વિશેષતા એ હતી કે તે પસંદગી કરેલા કોઈપણ ક્ષેત્રની વાસ્તવિક સમયની છબિઓ સતત અંતરાળ પર મોકલતું રહેતું. તે પ્રાકૃતિક આપત્તિઓની સાથોસાથ કોઈ પણ પ્રકારની નાની ઘટનાઓને તાત્કાલિક નજર રાખવામાં મદદરૂપ થતું. આ ઉપગ્રહ કૃષિની સાથોસાથ કુદરતી આપત્તિની ચેતવણી, વાદળ ફાટવા કે વાવાઝોડા સહિત વિભિન્ન ક્ષેત્રોની મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં સક્ષમ હતો.

શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પરીક્ષણ સ્થળથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવ્યો. તેને જીએસએલવી એફ-10 દ્વારા જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત કરવાનું આયોજન હતું. ત્યારબાદ ઉપગ્રહ પોતાના ઓન-બોર્ડ પ્રપલ્શન પ્રણાલીનો ઉપયોગ કરીને ભૂસ્થિર કક્ષામાં પહોંચી જવાની હતી.

Total
0
Shares
Previous Article

Maruti Ertigavs ટક્કર આપવા Kia મોટર્સ લાવી રહી MPV, Kia KYનો લુક અને ફીચર્સ હશે શાનદાર

Next Article

Xiaomi Mi Pad 5 અને Mi Pad 5 Pro ટેબ્લેટ થયા લોન્ચ, જાણો તેના દમદાર ફીચર્સ અને કિંમત

Related Posts
Read More

મુકેશ અંબાણીને ધમકી આપનાર વ્યક્તિને, મુંબઈ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો.., પૂછપરછમાં થયો એવો મોટો ખુલાસો કે..

મુકેશ અંબાણી ને આજે સૌ કોઈ લોકો ઓળખી રહ્યા છે. તેઓ રિલાયન્સના ફાઉન્ડર અને ચેરમેન છે. ગઈકાલે મુકેશ…
Read More

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના કિશ્તવાડ વિસ્તારમાં વાદળ ફાટવા (Cloud Burst)ના કારણે અનેક લોકો ગુમ થયા છે. પાંચથી આઠ મકાનો અને એક…
Read More

ધો.12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83% વિદ્યાર્થીઓ પાસ

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું…
Read More

આગાહી! ગુજરાતમાં 19-20 ઓગસ્ટે ભારેથી મધ્યમ વરસાદ, જોઈલો તમારા જિલ્લામાં કેવો વરસાદ રહેશે

દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં આગામી…
Total
0
Share