આઈકોનિક બસ સ્ટેશનનું નડિયાદની પ્રજાનું સપનું સાચ્ચે જ થશે પુરુ…?

નડિયાદ ના નવા બસ સ્ટેન્ડ ના નિર્માણ માટે કાગ પૂર્વક જોવાતી રાહ ….

નડિયાદ શહેર જિલ્લાનું મુખ્ય મથક હોઈ જિલ્લાના ખૂણે ખૂણેથી લોકોની અવરજવર રહે છે. શહેરમાં વર્ષો જૂનું બસ સ્ટેશન તેમજ ત્રણેક દાયકા પહેલા નવું બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. નવું બસ સ્ટેશન કાર્યરત થયા બાદ મોટાભાગની બસોનું નવા બસ સ્ટેશનમાંથી સંચાલન થતું હતું. ત્યારે સરકાર દ્વારા મજબૂત બાંધકામ ધરાવતું બસ સ્ટેશન તોડી પાડી તેના સ્થાને નવું આઈકોનિક બસ સ્ટેશન બનાવવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ બસ સ્ટેશનના ખાતમુહૂર્તને છ વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ નવા બસ સ્ટેશનમાં તેના પાયાનું કામ પણ શરૂ થયું નથી. બીજી બાજુ વર્ષો જૂના બસ સ્ટેશનમાં સુવિધાનો અભાવ જોવા મળે છે. આણંદ ડાકોર તરફના પ્લેટફોર્મ પર તો બપોર પછી ધોમધખતા તાપને કારણે મુસાફરોને ઉભું રહેવું દુષ્કર બને છે. નવા બસ સ્ટેશનના કામ રેલવે વિવાદના કારણે અટકી ગયું હોવાનું બહાર આવ્યું છે, પરંતુ રેલવે સાથેના વિવાદ ઉકેલાઈ ગયા બાદ પણ બે વર્ષ ઉપરાંતનો સમય થવા છતાં બસ સ્ટેશનનું કામ ખોરંભે પડેલું જોવા મળી રહ્યું છે.

Total
0
Shares
Previous Article

ચરોતર ના ફેમસ પત્તરવેલી ભજીયા બોરિયાવી આણંદ સમર્થ કોર્નર

Next Article

ચરોતર ના નંબર વન ઘંટવાળા ઓરિજિનલ બિહારી સમોસા નડિયાદ

Related Posts
Read More

વલ્‍લભવિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્‍થિતિમાં છાત્રાલયનું ખાતમુહૂર્ત સંપન્‍ન

વિકાસના પાયામાં શિક્ષણનો મહત્‍વનો ફાળો છે -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી (CM vijay rupani) વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારોના સિંચન સાથે…
Read More

જીટીયુ અને વિજ્ઞાન ગુર્જરીના સંયુક્ત ઉપક્રમે સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટનું આયોજન કરાયું

ટેક્નોલોજી આધારીત ખેતી , વિજળીના થાંભલા પર કરંટ ડિટેક્ટ કરતું ડિવાઈસ અને રીમોટ મોનિટરીંગના આઈડિયાઝને ટોપ-3માં સ્થાન મળ્યું…
Total
0
Share