sudden weather change in gujarat

ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો

ગુજરાતના અનેક જિલ્લામાં ગઈ કાલે વરસાદ પડ્યો છે. ભારે ગરમીમાં વરસાદ પડતા લોકોને થોડી રાહત મળી છે.બીજીતરફ અચાનક આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વધુમાં હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીની સીઝનમાં ચોમાસું આવી ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં ગઈ કાલે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોમવારે બપોર બાદ અચાનક વરસાદ પડ્યો હતો. આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.

Sudden weather change in gujarat

 હજુ ત્રણ દિવસ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 14, 15 અને 16 મે આ ત્રણ દિવસની આગાહી કરી છે.  ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આગામી ત્રણ દિવસમાં વરસાદ પડશે. 

ગુજરાતમાં વરસાદ પડ્યો તેની સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની હતી. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જે થન્ડર સ્ટોર્મના રૂપમાં રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. તેના માટે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો થયો છે.

તા. 14 મે અને 15 મે નાં રોજ રાજ્યનાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર. અમદાવાદ ખેડા પંચમહાલ આણંદ વડોદરા ભરૂચ બોટાદ . ભાવનગર તેમજ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

https://ccd.gujarat.gov.in/index.htm

Total
0
Shares
Previous Article

ASTRAZENECAની કોવિડશિલ્ડ થી હાર્ટઅટેક આવે છે?

Next Article
Map of Gujarat showing the Charotar region near Anand between the Mahi and Sabarmati rivers

Exploring the Heart of Gujarat: The Vibrant Charotar Region

Related Posts
Read More

શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક તથા યોગીજી મહારાજ ના પરમ શિષ્ય ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાં.

જય સ્વામિનારાયણ ! દાસ ના દાસ ! શ્રી અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ મંદિર, હરિધામ – સોખડા (YDS) સંસ્થાના સ્થાપક…
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Total
0
Share