UP: બારાબંકીમાં ભીષણ માર્ગ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 18 મુસાફરોનાં મોત

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બારાબંકી (Barabanki)માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે (Lucknow-Ayodhya Highway) પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશનની હદમાં લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદીના પુલ પર થયો. મળતી જાણકારી મુજબ, પુલ પર ખરાબ થઈને ઊભી રહેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રક-ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. તેના કારણે બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે 11 મુસાફરોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જ્યારે અનેક લોકોને જિલ્લા હૉસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત થયા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક લોકોની મદદથી લાશોને હાઇવેથી હટાવી અને ઘાયલોને હૉસ્પિટલ મોકલ્યા.

હરિયાણાથી બિહાર જઈ રહી હતી બસ

પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ. મળતી જાણકારી મુજબ, એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આસપાસ સૂઈ ગયા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા.

અનેક કિલોમીટર સુધી ટ્રાફિકજામ

દુર્ઘટના બાદ ટ્રકચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. દુર્ઘટના બાદ હાઇવે પર વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ. તેના કારણે લગભગ અનેક કિલોમીટર સુધી લાંબો જામ થઈ ગયો. દુર્ઘટનાના થોડા સમય બાદ જ વરસાદ પડવાનો શરૂ થઈ ગયો. બારાબંકી એસપી યમુના પ્રસાદ, એસડીએમ જિતેન્દ્ર કટિયાર અને સીઓ પંકજ સિંહના નેતૃત્વમાં વરસાદની વચ્ચે પોલીસે સ્થાનિકોની મદદથી લાશોને બહાર કાઢી અને ઘાયલોને હૉસ્પિટલ પહોંચાડ્યા.

Total
0
Shares
Leave a Reply
Previous Article

Karnataka CM: કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈની પસંદગી, BJP વિધાયક દળની બેઠકમાં નિર્ણય

Next Article

Jammu-Kashmir: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 4 લોકોનાં મોત, 40 કરતા વધારે લોકો ગુમ, Airforceની મદદ મંગાઈ

Related Posts
Read More

21મી સપ્ટેમ્બર સુધી મેઘરાજા રહેશે મહેરબાન, જાણો રાજ્યના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

19થી 21 સપ્ટેમ્બર સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના (Gujarat) સૌરાષ્ટ્ર અને…
Read More

સામાન્ય જનતાને મોટો આંચકો, આજથી આટલા રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર

આ વર્ષે 190.50 રૂપિયા મોંઘો થયો રાંધણ ગેસ સિલિન્ડર, જાણો સપ્ટેમ્બરમાં કેટલો થયો ભાવવધારો. સપ્ટેમ્બર મહિનાના પહેલા દિવસે…
Read More

Covid Nasal Vaccine: માર્કેટમાં તેની કિંમત કેટલી હશે, ઓનલાઈન સ્લોટ કેવી રીતે બુક કરાવો; જાણો દરેક સવાલના જવાબ

  દુનિયાની પહેલી નાકથી આપવામાં આવતી કોવિડ-19 વેક્સિન: નાકની રસી ‘INCOVAC’ પણ હવે દેશમાં ઉપલબ્ધ થવા જઈ રહી…
Read More

નવસારીમાં રેલવે ટ્રેક પર લોખંડની એંગલો મૂકી ટ્રેન ઉથલાવાનું કાવતરૂં, માલગાડીના ડ્રાઇવરે મોટો અકસ્માત અટકાવ્યો

ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી તરફ આવતા રેલવે ટ્રેક ઉપર કોઈ કે લોખંડની એંગલો મૂકી હતી જો માલગાડીના ડ્રાઇવરની…
Total
0
Share