Uttarakhand Rain: અત્યાર સુધીમાં 46નાં મોત, વધી શકે છે મોતનો આંકડો, નૈનીતાલમાં 28એ ગુમાવ્યા જીવ

Heavy Rainfall in Uttarakhand : એક તરફ નૈનીતાલમાં ભારે વસરસાદ બાદ પરિસ્થિતિ સામાન્ય થવા જઇ રહી છે અને રસ્તા ખોલવાની કવાયત ચાલી રહી છે તો નૈનીતાલ સહિત સંપૂર્ણ ઉત્તરાખંડમાં ગત બેથી ત્રણ દિવસમાં વરસદમાં થયેલાં મોતની સંખ્યા વધી ગઇ છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે થયેલી દુર્ધટના અને આપદામાં માર્યા ગયેલાં લોકોનો આંકડો 46 પહોંચી ગયો છે. સોમવારે અત્યાર સુધીમાં આંકડો જારી કરતાં એક અધિકારિક નોટમાં કહેવામાં આવ્યું છે કે, આંકડા હજુ વધી શકે છે, કારણ કે નૈનીતાલ સહિત ઘણાં વિસ્તારમાં લોકો ગૂમ છે. હજુ સુધીની સ્થિતિ મુજબ નૈનીતાલ જિલ્લામાં સૌથી વધુ 28 લોકોનાં જીવ ગયા છે. જિલ્લામાં 11 લોકો લાપતા છે. તેથી અહીં મોતનો આંકડો વધી શકે તેવી આશંકા છે. આ ઉપરાંત 12 લોકો ઘાયલ છે જેમનું ઇલાજ હોસ્પિટલમાં ચાલુ છે.

ક્યાં કેટલા મોત થયા?
17 ઓક્ટોબર- ચમ્પાવતનાં બનબસામાં 1નું મોત
18 ઓક્ટોબર- પૌડી- લેન્સડૌન- 3નાં મોત 2 ઘાયલ
ચમ્પાવત- 2નાં મોત
પિથૌરાગઢ- 1નું મોત
19 ઓક્ટોબર- નૈનીતાલ- 28નાં મોત, 2 ઘાયલ, 5 ગૂમ
અલ્મોડા-6નાં મોત, 2 ઘાયલ
ચંપાવત- 2નાં મોત 2 ઘાયલ, 6 ગૂમ
ઉધમસિંહ નગર- 2નાં મોત
ચમોલી- 4 ઘાયલ
બાગેશ્વર- 1નું મોત

હલ્દ્વાની પહોંચ્યું રાહત દળ, NH 107 હજુ પણ બંધ- રાહત કાર્ય માટે વાયુસાનાનું રાહત દલળ હલ્દ્વાની રવાના થઇ ગયુ છે. નૈનીતાલ જિલ્લાનાં સલારી ગામ માટે SDRFની ટીમ રવાના થઇ ગઇ છે. જ્યાં ભૂસ્ખલન થયું છે. અને ઘણાં ગ્રામીણ તેમાં દબાઇ ગયા છે. બીજી તરફ રુદ્રપ્રયાગ- કેદારનાથ રાષ્ટ્રીય માર્ગ 107 હજુપણ બંધ છે. પર્વતનાં કાંટમાળને કારણે નૌલાપાની પાસે NH 107 બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં અહીં કાંટમાળ ખસેડવાનું કામ ચાલુ છે જેથી વહેલીતકે તેને ફરી ખોલી દેવામાં આવે.

પાક અને પર્યટન બંનેને ભારે નુક્સાન– રાજ્યમાં અતિવૃષ્ટિથી ન ફક્ત ચાર ધામ યાત્રા પ્રભાવિત થઇ છે. પણ પર્યટન ક્ષેત્ર પણ ભારે પ્રભાવિત થયું છે. નૈનીતાલની પરિસ્થિતિ વણસતા હીં પર્યટકો ફસાઇ ગયા છે. અને બાકી પરત ફરી રહ્યાં છે. ટિહરી ઝીલમાં બોટિંગ અને કેમ્પ કોટેજ માલિકોને ભારે નુક્સાન સહન કરવું પડ્યું છે. પર્યટકોએ એડવાન્સ બુકિંગ કેન્સલ કરાવી દીધુ છે તો સ્થાનિક વ્યવસાયને પણ અસર થઇ છે. તો ઋષિકેશમાં વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ ગયો છે. જેને કારણે પાક અને પર્યટન બંને ક્ષેત્રે રાજ્યને માર પડ્યો છે.

Total
0
Shares
Previous Article

Nokiaનો પ્રથમ 5G ફોન: પ્રી-બુકિંગ પર ફ્રીમાં મળશે ઈયરબડ્સ, જાણો કિંમત અને ફીચર્સ

Next Article

ડ્યુઅલ કનેક્ટિવિટી સાથે લોન્ચ થયો Lava Probuds N1 નેકબેન્ડ, 30 કલાક સુધી ચાલશે બેટરી

Related Posts
Read More

શ્રાવણનાં પહેલા સોમવારે કરો સોમનાથ દાદાનાં દર્શન, થઇ જશો ભાવવિભોર

શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મંદિરમાં દરરોજ ત્રણ ટાઇમ થતી આરતીમાં ભાવિકોને પ્રવેશ મળશે નહીં. શિવની ભક્તિ કરવાના પવિત્ર…
Read More

Gujarat Weather Forecast: સોમવારે રાજ્યના 9 જિલ્લામાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સોમવારે ગુજરાતમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી, અગાઉ અંબાલાલ પણ કરી ચુક્યા છે સારા વરસાદની આગાહી રાજ્યમાં…
Read More

ધો.12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32% વિદ્યાર્થીઓ થયા ઉતીર્ણ

GSEB 12th science repeaters student online result: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 15.32 ટકા આવ્યું છે.…
Total
0
Share