ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ફૂટપાથ પર ચલાવાતી શાળાના બાળકોને મહંેદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ

રાજપથ માર્ગ પર આણંદની અનોખી ફૂટપાથ શાળા

આણંદ શહેરમાં આવેલ રાજપથ માર્ગ ઉપર એક અનોખી ફૂટપાથ શાળા ચાલે છે. જેમાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

આ શાળામાં શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા હોય છે ત્યારે આ જે દ્રશ્યો લોકોમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ શાળા ચારુતર વિદ્યામંડળના પ્રો. ડૉ. ઉમાબેન શર્મા દ્વારા ચલાવવામાં આવે છે. આ શાળામાં 45 થી વધુ શ્રમજીવીઓના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ડૉ. ઉમાબેન દ્વારા બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે તે બાળકોને પણ ગૌરીવ્રત નિમિત્તે તેમનો હરખશોખ પૂર્ણ કરવાના હેતુસર તેમના દ્વારા ગત રોજ ફૂટપાથ શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને હાથમાં મહેંદી અને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જ રીતે તેમના દ્વારા વાર તહેવાર પ્રસંગે બાળકોને દરેક ખુશીઓ વહેંચવામાં આવે છે. ઉપરાંત આ શાળામાં સેવાભાવીઓ દ્વારા પણ જન્મતિથિ, પુણ્યતિથિ નિમિત્તે અનેક અવી સેવાઓ કરવામાં આવે છે. આ બાબતે ઉમાબેન શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, હું પણ આ જ પરિસ્થિતિમાંથી બહાર આવી છું જેથી મને આ પરિસ્થિતિનો અનુભવ છે. એટલેજ હું આ બાળકોને ફુલ નહી તો ફૂલની પાંખડી વહેંચવા માંગુ છંંુ.

 

Total
0
Shares
Leave a Reply
Previous Article

ચરોતરમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના

Next Article

જો તમે પણ તમારા બાળકને સાબુથી નવડાવો છો, તો આ માહિતી ચોક્કસપણે વાંચો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન…

Related Posts
Read More

આણંદ-ખંભાત વચ્ચે પુનઃ શરૂ થયેલ સ્પેશિયલ ટ્રેનના નામે ભાડામાં કરાયો ૧૩૩ ટકાનો વધારો

પાસધારકો માટે પણ ટિકિટ ફરજિયાત : રૂ. ૧૫ના બદલે રૂ. ૩૫ ભાડું છતાં બસ કરતાં વધુ સમય આણંદ-ખંભાતના…
Anand Borsad Bridge
Read More

આણંદના રેલવે ઓવરબ્રિજનું નિર્માણનું કામ પૂરું થાય તે પહેલાં જ દિવાલ ધરાશાયી થતા બ્રિજને 3થી 4 કરોડનું ભારે નુકશાન

આણંદ તરફના બ્લોકની બનાવેલી દિવાલ ધડાકાભેર જમીનદોસ્ત થઇ ગઇ હતી. જેના કારણે દોડધામ મચી ગઈ હતી.બોરસદ ચોકડી પર…
Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તારાપુરથી વાસદ નવનિર્મિત છ માર્ગીય માર્ગનું લોકાર્પણ

નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને…
Total
0
Share